કોરોના વાઇરસ : દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3600ને પાર

Update: 2020-04-05 04:06 GMT

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કુલ 2902 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જોકે શનિવારે કોરોના વાયરસના સંક્રમણના 500થી વધારે કેસ નોંધાયા હતાં. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 145 કેસ છે. આ ઉપરાંત દેશમાં 6 લોકોના શનિવારે મોત નીપજ્યાં છે.

દેશમાં સંક્રમિતોની સંખ્યા 3,600ને

પાર  થઈ ગઈ છે. આ સંખ્યા covid19india.org વેબસાઇટ પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 525 દર્દીઓ વધ્યાં છે..

હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3072 થઈ ગઈ છે. જેમાંથી 213 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યાં છે અને 75

દર્દીઓના મોત નીપજ્યાં છે.

Tags:    

Similar News