કોવિડ-19 : રાજ્યમાં આજે 244 નવા કેસ નોધાયા, રિકવરી રેટ 97.43 ટકા પર પહોંચ્યો

Update: 2021-02-07 15:21 GMT

રાજ્યમાં કોરોના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 244 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 1નું મોત થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.43 ટકા પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 355 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,56,670 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2379 એક્ટિવ કેસ છે, જેમાંથી 24 લોકો વેન્ટિલેટર પર અને 2355 લોકો સ્ટેબલ છે. આજે મહિસાગરમાં 1 દર્દીનું મોત થયું છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4395 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 244 નવા નોધાયેલ કેસ પૈકી વડોદરા કોર્પોરેશનમાં 64, અમદાવાદ કોર્પોરેશનમાં 53, રાજકોટ કોર્પોરેશનમાં 35 , સુરત કોર્પોરેશનમાં 30, વડોદરામાં 11, મહેસાણા 7, રાજકોટ 7, કચ્છ 5, આણંદ-4, ગાંધીનગર 4, ગાંધીનગર કોર્પોરેશન-4, જામનગર કોર્પોરેશન-4, સાબરકાંઠા 3 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી 5,55,179 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 13,625 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.

Tags:    

Similar News