ચારધામ યાત્રા બનશે સરળ 40 હાજર કરોડના ખર્ચે રેલવે શરુ કરાશે

Update: 2017-05-12 05:22 GMT

ઉત્તરાખંડ ચારધામ યાત્રા કરનારાઓને ટૂંક સમયમાં રેલવે કનેક્ટિવિટી મળશે, રેલવે આ પ્રોજેક્ટ પર 40 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે, આ પ્રોજેક્ટ માટે ફાઇનલ લોકેશન સર્વે વિકાસ નિગમ લિમિટેડને દેહરાદૂન અને કર્ણપ્રયોગને જોડવાના માધ્યમથી ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ ,અને કેદારનાથ રેલવે કનેક્ટિવિટી આપવા માટે ફાઇનલ સર્વેક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પહેલા આરવીએનએલ 2014 - 15માં જરૂરી સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યુ હતુ, ઓક્ટોબર 2015માં તેનો અહેવાલ સોંપાયો હતો, ચારધામ યાત્રા જોડાવા માટે 329 કિમીના રેલવે રૂટની જરૂર પડશે, અને તેમાં 43.292 કરોડ રૂપિયા ખર્ચ થશે, સર્વેક્ષણમાં 21 નવા સ્ટેશન 61 ટનલ્સ અને 59 બ્રિજની ભલામણ થયેલી છે.

 

Similar News