રેલવે મંત્રાલય દ્વારા આગામી સમયમાં ટ્રેક પર 600 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ટ્રેન દોડાવવાની વિચારણા કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ અંગે મિડીયાને માહિતી આપતા જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર ટ્રેનની ઝડપ 600 કિલોમીટર પ્રતિ કલાકની કરવાની વિચારણા કરી રહી છે. અને આ આયોજનને પાર પાડવા માટે વૈશ્વિક કંપનીઓ સાથે વાતચીત પણ શરુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.