લાલુ પ્રાસાદ યાદવના જન્મ દિન પ્રસંગે તેમના પરિવારજનોએ રાત્રે બાર વાગે કેક કાપીને ઉજવણી કરી હતી,જ્યારે રવિવારની સવારે સીએમ નીતિશ કુમારે લાલુ યાદવને જન્મદિવસની શુભકામના આપવા તેમના નિવાસ પર પહોંચ્યા હતા.
નીતિશ કુમારે જણાવ્યુ હતુ કે લાલુ યાદવ પોતાનું જીવન જનતાની સેવામાં લગાવી દીધું હતુ,છાત્ર જીવનમાં પણ તેમને ઘણુ યોગદાન આપ્યુ હતુ, હું અને લાલુ પ્રસાદ મળીને બિહારનો વિકાસ કરી રહ્યા છે.
રવિવાર સવારથી નેતા અને કાર્યકર્તા તેમજ લાલુ યાદવના ચાહકો એ તેમને જન્મદિનની શુભકામના આપવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચીને શુભેચ્છા પાઠવી હતી.