તહેવાર,સરકારી કાર્યક્રમ,ચૂંટણી પ્રચાર સહીત વિવિધ વ્યવસ્થા પોલીસ ના સુરક્ષા કવચ વગર અધુરી ગણાય છે.ખાસ કરીને તહેવાર ના સમય માં પણ પોલીસ કર્મચારી ઓ પોતાના પરિવારને છોડી ને પ્રજાની સેવા માં જ ફરજ નિભાવતા હોય છે.સતત તણાવ ગ્રસ્ત રહેતા પોલીસ જવાનો માટે કેન્દ્ર સરકાર રાહત રૂપ કોઈ નિર્ણય લેશે તેવી શક્યતા ઓ વ્યક્ત કરાઈ રહી છે.
કામ ના ભારણ હેઠળ રહેતા પોલીસકર્મી ઓ પર તેની અસર તેઓના સ્વાસ્થ્ય પર પણ પડે છે,આ બધી બાબતો ને ધ્યાન માં રાખીને ભારત સરકાર પોલીસ રીફોર્મ અંતર્ગત પોલીસ કર્મચારીઓ ને મોટી રાહત આપવાનું વિચારી રહી છે,અને પોલીસ વિભાગ માં પણ સિફટ મુજબ નોકરી નો દોર શરુ કરી પોલીસ કર્મી ઓ ને તે મુજબ ફરજ બજાવવા નું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની અટકળો શરુ થઇ છે.