બગોદરા પાસે ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નુ મોત 28 ઘાયલ

Update: 2018-05-23 09:01 GMT

રાજ્યભરમાં દિવસેને દિવસે રોડ અકસ્માત વધી રહ્યા છે. થોડાક દિવસ પહેલાં જ ભાવનગર નજીક એક સિમેન્ટ ભરેલી ટ્રક પલ્ટી મારી જતાં 19 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજે ફરીવાર એક ગંભીર અકસ્માત નોંધાયો હતો.

બગોદરા નજીક બપોરના સમયે એસ.ટી. બસ અને ટ્રક ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર ૧ વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બસમાં સવાર 28થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે મુસાફરોથી ભરેલી એસટી બસ પલ્ટી મારી ગઈ હતી. આ એસટી બસ ગારિયાધારથી અમદાવાદના કૃષ્ણનગર તરફ જઈ રહી હતી. અકસ્માતની જાણ થતાં જ 108ની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તમામ ઈજાગ્રસ્તોનો સારવાર અર્થે બગોદરા ખાતે ખસેડાયા હતા.

 

Tags:    

Similar News