ભરૂચ ઝાડેશ્વર ખાતે યજ્ઞ શાળા ભવનની શિલાન્યાસ વિધિ યોજાઈ

Update: 2016-12-07 11:57 GMT

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે નિર્માણ પામવા જઈ રહેલ યજ્ઞ શાળા ભવનની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારો અને ભુદેવો એ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શિલાન્યાસ વિધિ કરી હતી. કાર્યક્રમમાં આમંત્રિતોએ ઉપસ્થિત રહીને યજ્ઞ શાળાનું નિર્વિઘ્ને નિર્માણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

 

Tags:    

Similar News