ભરૂચના શક્તિનાથ સ્થિત પાંજરાપોળમાં કોઈક કારણોસર આગનો બનાવ બનતા પશુઓ માટે સંગ્રહ કરવામાં આવેલ ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો.
પાંજરાપોળમાં આગના બનાવની જાણ નગર પાલિકાના ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર લાશ્કરો ઘટના સ્થળ પર દોડી આવીને ઘાસચારામાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.
પાંજરાપોળના સંચાલકો પાંજરાપોળ ખાતે દોડી આવ્યા હતા,અને પશુઓ માટે સંગ્રહ કરવામાં આવેલ ઘાસ બળી ગયુ હતુ.તેમજ મોટી નુકશાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.