ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી,કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા મૃતદેહ સડી ગયો

Update: 2017-04-07 11:01 GMT

ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી પુનઃ એકવાર બહાર આવી છે,કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા એક મૃતદેહ સડી જવાના કારણે મૃતકના પરિવારજનો એ હોસ્પિટલના તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોઈક ને કોઈક કારણોસર વિવાદ સર્જાતો રહે છે. ત્યારે હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મૃતદેહ હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે વિકૃત થઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલનું કોલ્ડ સ્ટોરેજ બંધ રહેવાના કારણે મૃતદેહ સડી ગયો હોવાનું કહેવાય છે,મૃતકના પરિવારજનો એ પણ હોસ્પિટલના તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરીને જરૂરી તપાસની માંગ કરી હતી.

જ્યારે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જને ઘટના અંગે જરૂરી તપાસના આદેશ આપ્યા છે.

 

Similar News