ભરૂચ : સુરતમાં ઘરફોડ ચોરીમાં ફરાર આરોપીને LCB એ દબોચી લીધો

Update: 2020-09-17 16:21 GMT

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી સુરતમાં કરેલ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડી જીઆઇડીસી પોલીસના હવાલે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલો એક આરોપી છેલ્લા 10 વર્ષથી પોલીસ પકડથી દૂર રહ્યો છે, ત્યારે ભરૂચ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેરના ભડકોદ્રા ગામ નજીક આવેલ નંદવદન સોસાયટીમાં રહેતા અને નાસતા ફરતા આરોપી ઓમપ્રકાશ ઉર્ફે ઉમેશ રામચંદ્ર સાકરીયાને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે એલસીબી પોલીસ દ્વારા આરોપીને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો, ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News