ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે રમતોત્સવ યોજાયો

Update: 2016-12-26 12:02 GMT

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળામાં વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશ ઠાકર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, તેમજ શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નારાયણ વિદ્યાવિહાર શાળાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ એ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં વિદ્યાર્થીઓને પ્રમાણ પત્રો આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

Tags:    

Similar News