ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે નિર્ણાયક ટી-20 મુકાબલો

Update: 2018-02-24 04:53 GMT

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી -20ની સિરિઝનો આખરી અને નિર્ણાયક મુકાબલો ખેલાશે. ભારતે પ્રથમ ટી-20માં 28 રનથી તો સાઉથ આફ્રિકાએ બીજી મેચમાં છ વિકેટથી વિજય મેળવતા શ્રેણીમાં બંને ટીમો 1-1 થી બરોબરી પર છે.

ત્યારે અંતિમ વન ડે જીતનારી ટીમ શ્રેણીમાં વિજય મેળવશે. કોહલીની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાની ભૂમિ પર વન ડે શ્રેણી જીતીને ઈતિહાસ રચી દીધો છે અને હવે તેઓ ટી-20 શ્રેણી જીતવા તરફ મીટ માંડી રહ્યા છે. જ્યારે સાઉથ આફ્રિકાએ ક્રિેકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં ચમકારો દેખાડતા બીજી ટી-20 જીતી લીધી હતી.

હવે તેઓ વન ડે શ્રેણીની નિષ્ફળતાને ભુલાવવા માટે ટી-20માં વિજયી અંત આણવાનો પ્રયાસ કરશે. કેપ ટાઉનના ન્યુ લેન્ડ્સ ખાતે આજરોજની આખરી ટી-20 શરૃ થશે, ત્યારે ભારતમાં રાતનાં 9:30 વાગ્યા હશે

 

 

Similar News