મોસ્કોમાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક વિમાનમાં લાગી આગ, 41 પ્રવાસીના મોત
રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે એક વિમાનમાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન આગ લાગી હતી. આગે જોત-જોતામાં એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઓછામાં ઓછામાં 41 લોકોના મોત થયા હતા.
આ પહેલા ઘટનાની તપાસ કરી રહેલ પ્રવાસીઓની ટીમનાં એક પ્રવક્તા સ્વેતલાના પેટ્રેન્કો એ માહિતી આપી હતી કે, આ ઘટનામાં 14 પ્રવાસીનાં મોત થયા છે. અને છ મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા છે. પરંતુ મૃતકઆંક 41 સુધી પહોચીયો હતો. વિમાનમાં કુલ ૭૮ લોકો સવાર હતા જેમાંથી 41 પ્રવાસીઓ મોતને ભેટ્યો છે. જ્યારે બાકીના પ્રવાસીઓને બચાવી લેવાયા છે. જેમાંથી કેટલાક પ્રવાસીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે.