વલસાડ જિલ્લા જમીન દફ્તરની કચેરીના જિલ્લા નિરિક્ષક પી.કે.ચૌધરી લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા હતા.
એસીબી વલસાડની ટીમ દ્વારા વલસાડ જિલ્લાના જમીન દફ્તર કચેરીના જિલ્લા નિરિક્ષક પી.કે.ચૌધરી 75,000 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. જિલ્લા નિરિક્ષકે એન.એ. થયેલી જમીનના દુરસ્તી પત્રના બદલામાં આ લાંચ માંગી હતી.