આણંદ : સી.પી. કોલેજ પાસે વડાપાઉની લારી ધરાવતાં પિતા-પુત્રએ યુવાનની કરી હત્યા

New Update
આણંદ : સી.પી. કોલેજ પાસે વડાપાઉની લારી ધરાવતાં પિતા-પુત્રએ યુવાનની કરી હત્યા

આણંદમાં સી. પી. કોલેજ પાસે વડાપાઉની લારી ચલાવતાં યુવક અને તેના પિતાએ બે મિત્રો ઉપર જીવલેણ હુમલો કરતાં એક મિત્રનું મોત થયું છે જયારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે ફરાર થઇ ગયેલાં હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

બનાવની વિગતો પર નજર નાખવામાં આવે તો  મૈત્રીક આશિષ પટેલ તેના મિત્ર શશાંક રાજેશભાઈ

ભાટીયા સાથે સી.પી.કોલેજ પાસે આવેલી વડાપાઉની લારી ઉપર ગયાં હતાં. બંને મિત્રો

લારી પર પહોંચ્યાં ત્યારે લારી ઉપર નિલેશ પ્રજાપતિ અને તેના પિતા ખુમાનજી હાજર

હતાં નિલેશ વડાપાઉં બનાવતો હતો એ વખતે શશાંકે એક દિવસ અગાઉ બનેલા બનાવ વિશે

નિલેશને પૂછતા તે ઉશ્કેરાઇ ગયો હતો. તેણે લારી પર રહેલી છરીથી શશાંક પર હુમલો કરી

તેને છરીના ઘા મારી દેતાં તે ફસડાઇ પડયો હતો. શશાંક સાથે આવેલો મૈત્રીક તેને

બચાવવા દોડતાં નિલેશ અને તેના પિતાએ ભેગા મળી તેના ઉપર પણ હુમલો કરી દીધો હતો.

ઇજાગ્રસ્ત શશાંકને સારવાર માટે નજીકના દવાખાને ખસેડાયો હતો પણ તેનું મોત થઇ ચુકયું

હતું. ઇજાગ્રસ્ત મૈત્રિક હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા રેન્જ આઈ.જી એ. કે.

જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ગુનો નોંધી ફરાર આરોપીઓ

ની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આણંદ જિલ્લામાં બે દિવસમાં હત્યાના બે

બનાવથી લોકોમાં ભય ફેલાયો છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories