અંકલેશ્વર : નેશનલ હાઇવે પર આવેલાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ

New Update
અંકલેશ્વર : નેશનલ હાઇવે પર આવેલાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા તાપી હોટલની બાજુમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. ગોડાઉનમાં કયાં કારણોસર આગ લાગી તે હજી જાણી શકાયું નથી. આગમાં કોઇ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો લીધો હતો.

અંકલેશ્વર ,પાનોલી,દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતોમાં આવેલી કંપનીઓમાં  અવાર નવાર આગની ઘટનાઓ બનતી હોય છે. કેમિકલ ઝોન હોવાથી ભરૂચ જિલ્લામાં ફાયર સેફટીનો કડકાઇથી અમલ થાય તે જરૂરી છે. રાજયમાં ફાયર સેફટીના નવા કાયદા વચ્ચે  અંકલેશ્વરમાં નેશનલ  હાઇવે નંબર 48ને અડી  આવેલાં ભંગારના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની જાણ થતાં  ડી.પી.એમ.સી. ,નોટિફાઈડ અને પાનોલીથી  પાંચ થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ગોડાઉનમાં સંગ્રહ  કરવામાં આવેલા પૂંઠા, પ્લાસ્ટિક, ખાલી ડ્રમ સહિતનો ભંગાર બળીનેરાખ થઇ ગયો હતો. આગમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.