અંકલેશ્વર: ભાદી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો,વન વિભાગે સુરક્ષિત સ્થળે છોડી મુકવા તજવીજ શરૂ કરી
અંકલેશ્વર તાલુકામાં દીપડાના સતત દેખાવને કારણે ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે. ભાદી ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરી હતી.
ભરૂચ | સમાચાર
April 18, 2026 · 1 min read
અંકલેશ્વરના ભાદી ગામનો બનાવ
દીપડો પાંજરે પુરાયો
વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું પાંજરું
દીપડાને જોવા લોકોના ટોળા ઉમટ્યા
વન વિભાગે કબજો મેળવ્યો
અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો હતો.વન વિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે છોડી મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકામાં દીપડાના સતત દેખાવને કારણે ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે. ભાદી ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વનવિભાગે પાંજરું ગોઠવ્યું અને મારણ મુકતા દીપડો તેમાં ફસાઈ ગયો.આ ઘટના બાદ દીપડાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.વનવિભાગ દ્વારા દીપડાનો કબજો મેળવી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.મહત્વની વાત એ છે કે એક દિવસ પહેલાં જ સેંગપુર ગામની સીમમાંથી પણ દીપડો પકડાયો હતો. આથી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધી રહી છે, શક્ય છે કે તેઓ ખોરાક કે રહેઠાણની શોધમાં ગામની નજીક આવી રહ્યા હોય.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઇકોર્ટ તેમની અરજી ગ્રાહ્ય રાખતા સાત દિવસના શરતી…