ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની મરહુમ સાંસદ અહેમદ પટેલના નિધન બાદ નેતાઓ અને સમર્થકો તેમને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે પીરામણ ગામ આવી રહ્યા છે, ત્યારે કોરોનાના કપરા કાળને ધ્યાનમાં રાખી મરહુમ સાંસદ અહેમદ પટેલના પરિવારજનો દ્વારા ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહયો છે. ભરૂચ જીલ્લાના પનોતા પુત્ર અને પિરામણ ગામના વતની અહેમદ પટેલ સદેહ આપણી વચ્ચે રહ્યા નથી પણ તેમણે કરેલા કાર્યોની સુવાસ ચારે તરફ ફેલાય રહી છે. મરહુમ સાંસદ અહેમદ પટેલના નિધન બાદ અનેક નેતાઓ અને સમર્થકો તેમને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે પીરામણ ગામ આવી રહ્યા છે, ત્યારે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમજ બહારગામથી આવતા લોકો મરહુમ અહેમદ પટેલને ઓનલાઈન શ્રદ્ધાંજલિ પાઠવી શકે તે માટે તા. 1 ડિસેમ્બર 2020 મંગળવારના રોજ સવારે 11થી સાંજે 5 કલાક સુધી ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભામાં મરહુમ સાંસદ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલ તથા પરિવારજનો હાજર રહેશે. તો સાથે જ બપોરે 12 કલાકે પ્રિયંકા ગાંધી પણ જોડાશે તેવી માહિતી મળી રહી છે, ત્યારે આપ પણ મરહુમ સાંસદ અહેમદ પટેલને ઓનલાઈન શ્રદ્ધાંજલિ પાઠવવા નીચે આપેલ લિન્કના માધ્યમથી જોડાઓ…
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/86928335370?pwd=K0xGNVJOakREQnFzSXQrN0ZWU1U4dz09
Meeting ID: 869 2833 5370
Passcode: 123456