ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ ધનજીભાઈની ચાલના એક મકાનમાં તસ્કરો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. જોકે તસ્કરોની તમામ કરતૂત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ મોદીનગર વિસ્તાર નજીક ધનજીભાઈની ચાલના એક બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ તેમાં હાથફેરો કર્યો હતો, ત્યારે ચોરીની ઘટનામાં તસ્કરો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.
જોકે બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ કેટલાના માલમત્તાનો હાથફેરો કર્યો છે તેની હજુ ચોક્કસ માહિતી બહાર આવી નથી. તો સાથે જ મકાન માલિક પણ બહારગામ હોવાથી સોસાયટીના રહીશોએ તેઓને પોતાના મકાનમાં ચોરી થઈ હોવાની તાત્કાલિક જાણ કરી હતી.