અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી જગન્નાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ફાયર સ્ટેશન પાસે શ્રી જગન્નાથ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે યોજાશે. જે અંતર્ગત આજરોજ માનવ મંદિરથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સ્થળ સુધી કળશ યાત્રા નીકળી હતી.જે કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.જયારે આવતી કાલે વેદ પાઠ,સૂર્ય પૂજા,ગૌ પૂજા,હવન,મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાશે.
