અંકલેશ્વર: નવા દિવાની આંગણવાડીમાં તસ્કરો રૂ.૧૮૨૦૦ના સામાનની ચોરી કરી પલાયન
આંગણવાડીના સંચાલીકાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.
અંકલેશ્વર તાલુકાના નવા દિવા ગામે આવેલ આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી આંગણવાડી ટીમમાંથી ગેસના બોટલ સહિતના 18200ના સામાનની ચોરી કરી ફરાર ગયા હતાં. સત્તાધિશોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="79614,79615,79616,79617,79618"]
પ્રાપ્ત પોલીસ સુત્રિય માહિતી અનુસાર અંકલેશ્વરના નવા દીવા ખાતે આવેલ આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંડર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ આંગણવાડીમાંથી ગેસની બોટલ, અનાજ તેમજ સગડી સહીતના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ગત તારીખ 31 મીના સોમવારના રોજ આંગણવાડી સંચાલીકા દક્ષાબેન વસાવા રાબેતા મુજબ આવતા તેમણે દરવાજાનો નકુચો તૂટેલો જોતા કંઈ થયુ હોવાનુ જણાયું હતું.
તસ્કરોએ આંગણવાડીમાં પ્રવેશી અંદર રહેલ ગેસની બોટલ, સગડી સહિત અનાજની ચોરી થઇ હોવાનું જણાયું હતું. આંગણવાડીના સંચાલિકાએ ઘટના અંગે શહેર પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ચોરી અંગે તપાસ હાથ ધરી હતી. તસ્કરોએ ૧૮,૨૦૦ની કિંમતના સામાનની ચોરી અંગે દક્ષાબેન વસાવાએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.