Connect Gujarat
Featured

અંકલેશ્વર : વિશ્વ પુસ્તક દિનની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નંબર ૩માં શેરી લાયબ્રેરીનું કર્યું લોકાર્પણ

અંકલેશ્વર : વિશ્વ પુસ્તક દિનની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નંબર ૩માં શેરી લાયબ્રેરીનું કર્યું લોકાર્પણ
X

અંકલેશ્વર ખાતે જે. એન. પીટીટ લાયબ્રેરી પરીવાર તથા અખિલ હિંદ મહિલા પરિષદ અંકલેશ્વર દ્વારા વિશ્વ પુસ્તક દિનની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નંબર ૩માં શેરી લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું.

કોરોનાની વિષમ પરિસ્થિતિમાં બાળકો માટે ટીવી અને મોબાઈલ સિવાય ખાસ પ્રવૃત્તિ નથી રહી જેના કારણે વધુ પડતાં સ્ક્રીન ટાઇમની આડ અસરો હવે વર્તાવા લગી છે, ત્યારે વોર્ડ નં ૩ના રહીશો માટે વિશ્વ પુસ્તક દિને નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે અનોખી આદર્શ શેરી લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંદિપ પટેલ તથા વોર્ડના કોર્પોરેટર અક્ષેશ પટેલ, મનીષા પટેલ અને હિરલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શેરી લાયબ્રેરી સંચાલક શ્રીમતી દક્ષા શાહે જણાવ્યું હતું કે, આગામી સમયમાં અંકલેશ્વરના અન્ય વોર્ડમાં પણ આ પ્રકારે શેરી લાયબ્રેરીની સેવાઓ શરૂ કરવાનું આયોજન હાથ ધરાશે. ૨૪ આદર્શ સોસાયટી ખાતે શરૂ થયેલ આ લાયબ્રેરીનો લાભ રોજ સાંજે ૫ થી ૬ તથા રવિવારે સવારે ૧૦ થી ૧૧ કલાકે લઇ શકાશે.

Next Story