થોડા દિવસો પહેલા અલ-કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. તે જ સમયે, એક થિંક ટેંકના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઇસ્લામિક આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્ક, જે લાંબા સમયથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના આતંકવાદી પ્રોક્સી તરીકે ઓળખાય છે. તે અલ-કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરીની પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને કાબુલમાં તેનું રોકાણ પાકિસ્તાનની મિલીભગતનો સ્પષ્ટ સંકેત છે.
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનના કાબુલમાં 31 જુલાઈની સવારે યુએસ ડ્રોન દ્વારા 9/11ના પ્રખ્યાત કાવતરાખોર અયમાન અલ-ઝવાહિરીની હત્યા કરવામાં આવી હતી. દરમિયાન, જવાહિરીને નિશાન બનાવવામાં પાકિસ્તાનની સંડોવણીની શક્યતા એક મોટા મુદ્દા તરીકે સામે આવી છે. જો કે હજુ સુધી અમેરિકા કે પાકિસ્તાને જાહેરમાં આવી ભૂમિકાનો સ્વીકાર કર્યો નથી.
યુરોપીયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ (ઇએફએસએએસ) અનુસાર, તે જણાવવું યોગ્ય છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યાં સુધી ઝવાહિરી પાકિસ્તાનમાં રહેતા હોવાના અહેવાલ હતા.ઘણા વર્ષોથી એવું માનવામાં આવતું હતું કે જવાહિરી પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં છુપાયેલો છે અને તે શા માટે અફઘાનિસ્તાન પાછો ફર્યો તે સ્પષ્ટ નથી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની હકાલપટ્ટી બાદ જવાહિરીનો પરિવાર કાબુલમાં સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યો હોવાનું માનવામાં આવે છે. ઝવાહિરીને કરાચીમાં આશ્રય આપવામાં આવ્યો હતો અને તાલિબાનના કબજાના થોડા સમય બાદ જ હક્કાની નેટવર્ક તેને ચમન સરહદ દ્વારા કાબુલ લઈ ગયો હતો.
જવાહિરીની હત્યામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટ (AII)ના વરિષ્ઠ ફેલો માઇકલ રુબિને કહ્યું કે તેમને ખાતરી છે કે જવાહિરીની હત્યામાં પાકિસ્તાનની ભૂમિકા હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170