ભરૂચ : તમને કારમાં કિંમતી સામાન મુકીને જવાની ટેવ હોય તો આ સમાચાર જરૂરથી જોજો
BY Connect Gujarat4 Jan 2020 11:41 AM GMT
X
Connect Gujarat4 Jan 2020 11:41 AM GMT
ભરૂચ શહેરમાં કારના કાચ તોડી અથવા દરવાજા ખોલી કિંમતી સામાન ઉપાડી જતી ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહયું છે.
અંકલેશ્વરની વાલીયા ચોકડી વિસ્તારમાં ઓલપાડની સહકારી મંડળીના ડીરેકટરની કારનો દરવાજો ખોલી 1.25 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરીના ગુનાનો ભેદ ઉકેલાયો નથી તેવામાં ટોળકીએ હવે ભરૂચમાં જ આવી ઘટનાને અંજામ આપ્યો છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં શનિવારના રોજ સવારના 10 થી 12 વાગ્યાના સમયગાળા વચ્ચે રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડીને બેગની ઉઠાંતરી કરીને ગઠિયો પલાયન થઈ ગયો હતો. આ ઘટના જયાં બની ત્યાં નજીકમાં લાગેલાં સીસીટીવીમાં બે ગઠિયાઓ દેખાઇ રહયાં છે. ભરૂચ અને અંકલેશ્વરમાં બનેલા બનાવો બાદ વાહનચાલકોએ સાવચેત બનવાની જરૂર છે. આપનો કિંમતી સામાન કારમાં મુકીને જવાના બદલે સાથે રાખવો હિતાવહ રહેશે.
Next Story