અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબિશનના 6 ગુનામાં ફરાર કુખ્યાત બુટલેગરની હજાત ગામેથી કરી ધરપકડ
ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ગુજરાત | સમાચાર
જે અંતર્ગત પી.એસ.આઈ.ડી.એ.તુવરની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે પ્રોહીબીશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી દશરથ ઉર્ફે દશુ બાલુભાઇ વસાવા રહે, હજાત ગામ તા-અંક્લેશ્વર તેના ઘરે હાજર છે. જેના આધારે દરોડા પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપી અંકલેશ્વર રૂરલ પો.સ્ટે-૦૩ તથા અંક્લેશ્વર “એ” ડીવીઝન પો.સ્ટે-૦૨ તથા અંક્લેશ્વર બી ડીવીઝન પો.સ્ટે-૦૧ મળી કુલ-૦૬ ગુનામાં ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
