ભરૂચ જિલ્લા સમસ્ત પ્રજાપતિ સમાજનો તૃતિય સ્નેહમિલન સમારંભ યોજાયો
ભરૂચ જિલ્લા સમસ્ત પ્રજાપતિ સમાજ્નો તૃતિય સ્નેહમિલન સમારંભ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર,હનુમાનજીના મંદિર પાછળ ઝાડેશ્વર મુકામે યોજાયો હતો.
આ તૃતિય સ્નેહમિલન
સમારંભમાં સમસ્ત પ્રજાપતિ સમાજના ધોરણ ૧ થી ૧૨નાં તેજસ્વી તારલાઓને સન્માનપત્ર,બોલપેન આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
સાથે સમાજન વિશિષ્ટ પદ ધરાવતા વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન
સમારંભમાં જુદા-જુદા વાળાઓના ભેદભાવ ભૂલીને પ્રજાપતિ સમાજના ભાઇ બહેનો મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના સંગઠનને વધારે મજબુત બનાવવા માટે સંકલ્પ કરાયો હતો.
આસ્નેહમિલન સમારંભમાં
મુખ્ય મહેમાન તરીકે ગુજરાત માટી કામ કલાકારી બોર્ડના ડિરેકટર મુકેશ પ્રજાપતિ, લધુ ઉદ્યોગ ભારતીયના રષ્ટ્રિય અધ્યક્ષ
બળદેવ પ્રજાપતિ, હોટલ હરીમંગલાના નટવર પ્રજાપતિ,જ્યારે અતિથિ વિશેષ તરીકે ગાંધીનગરના સી.આઇ.ડી. કાંતિ પ્રજાપતિ, ભરૂચ જિલ્લા પ્રજાપ્તિ મહિલા મંડળના પ્રમુખ રસિલા પ્રજાપતિ, ડો.પ્રગતિ પ્રજાપતિ તથા સમસ્ત પ્રજાપતિ સમાજના રાકેશ પ્રજાપતિએ ખાસ ઉપસ્થીત
રહી સમાજને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.