ભરૂચ : ઝઘડીયા તાલુકાના ખેડૂતોએ માંગ્યું વળતર, જુઓ કેમ થયું પાકને નુકશાન

New Update
ભરૂચ : ઝઘડીયા તાલુકાના ખેડૂતોએ માંગ્યું વળતર, જુઓ કેમ થયું પાકને નુકશાન

ભરૂચની નર્મદા નદીમાં આવેલાં પુરના કારણે કાંઠા વિસ્તારોમાં ખેતીનો દાટ વળી ગયો છે ત્યારે ઝઘડીયા તાલુકાના ખેડુતોએ સરકાર પાસે વળતરની માંગણી કરી છે. ખેડુતોએ આ સંદર્ભમાં કલેકટરને આવદનપત્ર આપી રજુઆત કરી છે.

ભરૂચ જિલ્લામાં સતત બીજા વર્ષે અતિવૃષ્ટિ અને નર્મદા નદીમાં પૂરના કારણે  ખેડૂતો પાયમાલ બન્યા છે. નર્મદા નદીના પુરના પાણી અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કાંઠાના ગામોની હજારો હેકટરમાં વાવેતર કરાયેલો પાક ધોવાય ગયો છે.ખેડૂતો કોરોના કાળ વચ્ચે  સરકારી દેવા ચૂકવી શકે તેમ નથી. બિયારણ, મહેનત અને મજૂરી પર પુરના પાણી ફરી વળ્યાં છે. હવે ખેડૂતોને બેઠા થવા તેમજ નવું બિયારણ ખરીદી ફરીથી વાવણી કરવા માટે પણ નાણાં રહ્યા નથી. આ ઉપરાંત સિંચાઇ માટે વીજળી પણ મળવી મુશ્કેલ બની છે કારણ કે પુરના કારણે ટ્રાન્સફર્મરોને પણ નુકશાન પહોંચ્યું છે. પાયમાલ બનેલા ઝઘડિયા તાલુકાના ખેડૂતોએ સોમવારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને પ્લે કાર્ડ સાથે રજુઆત કરી આર્થિક નુકશાની વળતર ચૂકવવા સાથે તમામ દેવા માફ કરવા માગણી કરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે નવસારીના પ્રોહીબિશનના ગુનાના સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર  એચ.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના PSI પી.જે.સાળુકે તથા સવેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા.

New Update
aavv

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર  એચ.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના PSI પી.જે.સાળુકે તથા સવેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા.

તે દરમ્યાન આરોપી સીકદર સલીમ શાહ ઉ..વ.૩૫ રહે. કાપોદરા ગામ ઘંટી ફળીયુ તા.અંકલેશ્વરની ધરપકડ કરી હતી.આ આરોપી નવસારી પોલીસ મથકના રૂ.7.76 લાખના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી ફરાર હોવાનું બહાર આવ્યું છે.આ ઉપરાંત ઝડપાયેલ આરોપી વલસાડ ટાઉન પોલીસના પ્રોહીબિશનના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.