ભરૂચ : અંકલેશ્વરમાં એક સાથે પાંચ બાઇકોનો કચ્ચરઘાણ, જુઓ કોણ છે કારણભુત

ભરૂચ : અંકલેશ્વરમાં એક સાથે પાંચ બાઇકોનો કચ્ચરઘાણ, જુઓ કોણ છે કારણભુત
New Update

અંકલેશ્વર અને હાસોટ ને જોડતા મુખ્ય માર્ગ ઉપર એશિયાડ નગર વિસ્તાર પાસે ફોરવિલ ગાડી ના ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા પાંચ જેટલી બાઇકને અડફેટમાં લીધી હતી.

અંકલેશ્વરના એશિયાડ નગર પાસેથી પસાર થઇ રહેલી કારના ચાલકે કોઇ કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ બનેલી કારે પાંચ બાઇકને ટકકર મારી હતી. બેકાબુ બનેલી કારના પગલે વાહનચાલકો અને રાહદારીઓમાં દોડધામ મચી ગઇ હતી. અકસ્માતમાં કાર તથા બાઇકોને નુકશાન થવા પામ્યું હતું. બાઇક સવારો તેમજ કાર ચાલકને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતાં 

અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસનો દોર શરૂ કર્યો હતો. કાર અને બાઇક વચ્ચેની ટકકર એટલી ભયાનક હતી કે આસપાસની સોસાયટીના રહીશો પણ દોડી આવ્યાં હતાં. કાર ચાલકે કયાં કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો તે હજી સુધી જાણી શકાયું નથી.

#Ankleshwar #Bharuch Police #accident news #Bharuch Collector #Ankleshwar News #Bharuch News #Hansot Accident #Aeshiyad Nagar
Here are a few more articles:
Read the Next Article