ભરૂચ : 1992માં અયોધ્યા ખાતે ગયેલાં કારસેવકોનું કરાયું સન્માન
BY Connect Gujarat22 Dec 2019 4:06 AM GMT
X
Connect Gujarat22 Dec 2019 4:06 AM GMT
અયોધ્યામાં રામ
મંદિરના નિર્માણ માટે સુપ્રિમ કોર્ટે આદેશ આપી દીધો છે ત્યારે 1992માં અયોધ્યા ખાતે ગયેલાં ભરૂચના
કારસેવકોને સન્માનિત કરાયાં હતાં.
ભરૂચ જિલ્લા વિશ્વ
હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું
હતું. ઝાડેશ્વરના નિલકંઠ મહાદેવ મંદિર ખાતે આયોજીત સ્નેહ મિલન સમારંભમાં
1992માં ભરૂચમાંથી ગયેલા
કારસેવકો નું સન્માન પણ કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય સમાજના
ધર્મેન્દ્રભાઇ સહિત સ્વામી મુકતાનંદ, વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાતના મહામંત્રી અજય વ્યાસ,
પ્રાંત મંત્રી વિરલ
દેસાઈ, ,દુષ્યંત
સોલંકી ,ગીરીશ
શુક્લા, આરએસએસના જિલ્લા કાર્યવાહક કૌશલ પટેલ
ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
Next Story