જુઓ ભરૂચના એક વિસ્તારમાં લોકો કરે છે પાછલા ૧ મહિના થી ઉજાગરા
વાત એમ છે કે પાછલા ૧ મહિના થી લાલબજાર, પખાલી વાડ, મલબારી દરવાજા વિસ્તારના લોકો પાછલા ૨૦ દિવસ થી પોતાના વિસ્તારમાં કોઈ અજાણ્યા લોકોની શંકાસ્પદ હિલચાલથી મુસ્કેલીમાં મુકાયા છે.
આ વિસ્તારના લોકોને રોજ રાતે કોઈ અજાણ્યા ઇસમો આવી એમની ઉંઘમાં ખલેલ પોહોંચડી રહ્યું છે. કેટલાક કહે છે તેઓ ચોર છે ? તો કેટલાક કઈ બીજું પણ કહે છે. પરંતુ સત્ય એ છે કે બીકના માર્યા લોકો પોતાના ઘર પરિવાર સાથે વિસ્તારની કરી રહ્યા છે જાતે જ સુરક્ષા.
કોઈ અજાણ્યા લોકો નદી વિસ્તાર માંથી આવી લોકોને ભયભીત કરી રહ્યા છે. આ વિસ્તારના લોકો ઘણી વખત અજાણ્યા અને શકમંદ ઇસમો પાછળ પકડવા પણ દોડ્યા. પણ નજીકમાં જ જુનીકોર્ટ હોય અને ઝાડી ઝાંખરા આવેલ હોય આ અજાણ્યા ઇસમો લોકો ત્યાંથી ભાગી જવામાં સફળ રહે છે. આ ઘટનાની જાણ પોલીસને જાણ પણ કરી છે. પરંતુ પોલીસ પણ ઉપરના વિસ્તારમાં ફરીને જતી રહે છે. જેથી આ મુસીબતમાંથી વહેલી તકે ઉગારવા અને એમની કામગીરીમાં સાથ આપવા બાંહેધરી આપવા લોકોએ પ્રશાસનને વિનંતી કરી છે.