અંકલેશ્વર: રેલ્વેનો અપલાઈનનો 25 હજાર વોટનો કેબલ તૂટ્યો, રેલ વ્યવહારને વ્યાપક અસર

અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે.

અંકલેશ્વર: રેલ્વેનો અપલાઈનનો 25 હજાર વોટનો કેબલ તૂટ્યો, રેલ વ્યવહારને વ્યાપક અસર
New Update

અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25000 વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર 2 કલાકથી ઠપ થઈ ગયો છે. પીરામણ બ્રિજ ઉપર જ પાવર સપ્લાય બંધ થતાં અજમેરથી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન અટકી પડી હતી.

શુક્રવારે સવારે અંકલેશ્વર અને પાનોલી રેલવે સ્ટેશન વચ્ચે કિલોમીટર નંબર 314 /25 પાસે રેલવેનો 25000 વોટ ઓવરહેડ કેબલ તૂટી પડ્યો હતો. અમદાવાદ અને મુંબઈની મુખ્ય અપ લાઈનનો ઇલેક્ટ્રિક સપ્લાય સવારે 9.15 કલાકથી ઠપ થતા ટ્રેન વ્યવહાર અટકી ગયો હતો. ઘટનાંની જાણ અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા રેલવે ડિવિઝનમાં કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી.અજમેરથી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન અંકલેશ્વરના પીરામણ ગરનાળાના બ્રિજ ઉપર જ અટકી ગઈ હતી. જ્યારે અન્ય ટ્રેનોમાં વડોદરાથી મુંબઈ તરફ જતી ગુજરાત એક્સપ્રેસ, સયાજી નગરી, દિલ્હી-બાંદ્રા, પશ્ચિમ એક્સપ્રેસ જેટલી 6 ટ્રેનો આ લખાય છે ત્યાં સુધી પ્રભાવીત થઈ હતી.

ઓવરહેડ ઈકવપમેન્ટ વાન રેલવેએ સ્ટાફ સાથે સ્થળ ઉપર મોકલી તૂટી ગયેલા 25 હજાર વોલ્ટના કેબલને દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે રેલવે તંત્રે વડોદરા-સુરત મેમુ અને ભરૂચ -સુરત મેમુ ટ્રેન રદ કરી દીધી છે.બનાવને 2 કલાક થઈ ગયા છે પણ હજી તૂટી ગયેલો કેબલ દુરસ્ત નહિ થતા અમદાવાદ-મુંબઇનો ટ્રેન વ્યવહાર ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ઠપ છે. છ ટ્રેનો વિલંબિત થવા સાથે 2 મેમુ રદ કરવામાં આવતા નોકરિયાત, પાસ હોલ્ડરો, વિધાર્થીઓ, વેપારીઓ સહિત 8000 મુસાફરો અટવાઈ ગયા છે. જેમને હવે પોતાના સ્થળે કે ફરજે સમયસર પોહચવા અન્ય વાહનો કે હાઇવેની વાટ પકડવાનો વારો આવ્યો હતો.

#Ankleshwar #Railway #broke #Train #BeyondJustNews #Connect Gujarat #Bharuch #stopped #upline cable
Here are a few more articles:
Read the Next Article