Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : બોરિદ્રા ગામ નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા, રૂ. 3.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત...

બોરિદ્રા ગામ જવાના માર્ગની બાજુમાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. તેવી પોલીસને બાતમી મળી હતી

અંકલેશ્વર : બોરિદ્રા ગામ નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 જુગારીઓ ઝડપાયા, રૂ. 3.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત...
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર બોરિદ્રા ગામ નજીક બાવળના ઝાડ નીચેથી જુગારધામ ઝડપી રૂ. 3.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કડકીયા કોલેજ નજીક આવેલ બોરિદ્રા ગામ જવાના માર્ગની બાજુમાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 4 હજાર અને 4 મોબાઈલ તેમજ એક ઈકો કાર મળી કુલ રૂ. 3.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 4 જુગારીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story