અંકલેશ્વર: સારંગપુર વિસ્તારમાં વીજ કરંટથી દાઝી ગયેલ બાળકનું વડોદરા ખાતે ટૂંકી સારવાર મોત
બાળકને પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો
BY Connect Gujarat Desk26 March 2023 8:24 AM GMT
X
Connect Gujarat Desk26 March 2023 8:24 AM GMT
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મારુતિધામ-૨ સોસાયટીમાં વીજ કરંટથી દાઝી ગયેલ બાળકનું વડોદરા ખાતે ટૂંકી સારવાર મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મારુતિધામ-૨ સોસાયટીમાં રહેતો ૧૦ વર્ષીય આકાશ ઉધ્યકુમાર મંડલને ગત તારીખ-૧૬મી માર્ચના રોજ બપોરે ૨ કલાકે તેના ઘરમાં વીજ કરંટ લાગતા તે દાઝી ગયો હતો જે બાળકને પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ૧૦ દિવસની ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Next Story