Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સુરવાડી નજીક ગાયત્રીનગરનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 5.55 લાખના મુદ્દામાલ પર હાથફેરો...

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નારાયણ ચૌધરી કરિયાણા દુકાન ચલાવે છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગરના મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 5.55 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ નજીક આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા નારાયણ ચૌધરી કરિયાણા દુકાન ચલાવે છે. જેઓ ગત તારીખ 29 ઓક્ટોબરની રાત્રિએ કિમ ખાતે તેઓની બહેનના ઘરે ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ 4.95 લાખ મળી કુલ 5.55 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, ત્યારે ચોરીના બનાવ અંગે મકાન માલિકે અંકલેશ્વર એ' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story