અંકલેશ્વર : કિશોરીનો ફ્રી ફાયર ગેમના માધ્યમથી અજાણ્યા યુવક સાથે થયો સંપર્ક, પછી યુવકે જે કર્યું એ જાણી ચોંકી જશો..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારની સગીર યુવતીને ઓનલાઈન ગેમ રમવું ભારે પડી ગયું હતું.

New Update
અંકલેશ્વર : કિશોરીનો ફ્રી ફાયર ગેમના માધ્યમથી અજાણ્યા યુવક સાથે થયો સંપર્ક, પછી યુવકે જે કર્યું એ જાણી ચોંકી જશો..!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારની સગીર યુવતીને ઓનલાઈન ગેમ રમવું ભારે પડી ગયું હતું. આ દરમ્યાન થયેલી ઓનલાઈન મિત્રતામાં સગીરાને લગ્નની લાલચ આપીને પશ્ચિમ બંગાળ તરફ લઈ જતા ઈસમને ભરૂચ એલસીબી પોલીસે રેલ્વે પોલીસની મદદથી ખડકપુર નજીકથી ઝડપી પાડ્યો હતો.

આજના ઓનલાઈન યુગમાં ઓનલાઈન ગેમ યુવાનો અને કિશોરોમાં ઘણી જ લૉકપ્રિય બની છે. જેમાં અનેક યુવાનો અને કિશોરો આખા દિવસ દરમ્યાન આ ગેમ રમતા હોય છે, ત્યારે આ અંગેનો ચોંકાવનારો કિસ્સો અંકલેશ્વરમાંથી પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વરના ગડખોલ ગામની એક સોસાયટીમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી ફ્રી ફાયર ગેમ રમી રહી હતી. આ દરમ્યાન તે પશ્વિમ બંગાળના એક યુવકના સંપર્કમાં આવી હતી. સંપર્ક થતાં જ વિધર્મી યુવકે કિશોરીને વાતોમાં ભેળવી તેનું અપહરણ કર્યું હતું. બનાવની વાત કરીએ તો, ગત તા. 16મી સપ્ટેમ્બરે સગીર યુવતીને લગ્નની લાલચ આપી પટાવી-ફોસલાવી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી ઈસમ યુવતીને લઈને ફરાર થઈ ગયો હતો. આ દરમ્યાન ઇસમ સગીરાને લઇ હાવડા સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેન મારફતે જઈ રહ્યો હોવાની ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળતા રેલ્વે પોલીસની મદદ મેળવી હતી. જેને પગલે રેલ્વે પોલીસે પશ્ચિમ બંગાળના ખડકપુર સ્ટેશનથી સગીરા સાથે આ ઈસમને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસની એક ટુકડી ખડકપુર પહોચી આરોપીનો કબજો મેળવી પરત આવી હતી. ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસે સગીરાને તેના માતા-પિતા સાથે ભેટો કરાવી સોંપી દીધી હતી. હાલ તો પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના સોનારપુરના ઈસમ અસદુલ ગાઝી વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ મામલામાં માનવ તાસકરીની પણ શક્યતાઓ સેવાઇ રહો છે ત્યારે પોલીસે આ દિશામાં પણ તપાસના ચક્રો ગતમાં કર્યા છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.