અંકલેશ્વર: સાંઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા

અંકલેશ્વર શહેર ખાતે સાંઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળૂઓ જોડાયા હતા

New Update
અંકલેશ્વર: સાંઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી ઉત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા

અંકલેશ્વર શહેર ખાતે સાંઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે પાલખી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળૂઓ જોડાયા હતા.

શિરડીના સંત સાંઈબાબાની 104મી પુણ્યતિથિ નિમિત્તે અંકલેશ્વર શહેરમાં આવેલ સાંઈ મંદિરે પાલખી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં મંદિરેથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પાલખી યાત્રા અંકલેશ્વરના વિવિધ વિસ્તારમાં ફરી પરત સાંઈ મંદિરે પહોંચી હતી જયારે હાંસોટ રોડ ઉપર આવેલ રમણમુળજીના હોલ ખાતે સાંઈ પ્રસાદી ઉત્સવ ઉજવાયો હતો આ કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ભરૂચ: ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ONE NATION, ONE ELECTION અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
  • ભરૂચમાં યોજાશે જનજાગૃતિ કાર્યક્રમ

  • ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન

  • એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે કરાશે ચર્ચા

  • આત્મીય હોલ ખાતે આયોજન

  • સમાજવિદ ડો.અનિલ પટેલ આપશે હાજરી

ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા “One Nation, One Election” જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને જોતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨૧ જૂન ૨૦૨૫, શનિવારે સાંજે ૪:૩૦ કલાકે ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાશે.કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ ડૉ. અનિલ પટેલ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" વિષય પર  વિચારવિમર્શ રજૂ કરશે. દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે.આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હોટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  કિરણ મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સાથે  અનિષ પરીખ સહિત સંસ્થાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.