Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: રાષ્ટ્રીયધોરી માર્ગ પર ટ્રક બ્રિજની રેલીંગ સાથે ભટકાતા અકસ્માત

અંકલેશ્વર-સુરત વચ્ચેના નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડીના બ્રીજ ઉપર ટ્રક રેલીંગ તોડી લટકી પડતા દોડધામ મચી જવા પામી હતી.

X

અંકલેશ્વર-સુરત વચ્ચેના નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડીના બ્રીજ ઉપર ટ્રક રેલીંગ તોડી લટકી પડતા દોડધામ મચી જવા પામી હતી. આ તરફ અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા

અંકલેશ્વર-સુરત નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડીના બ્રીજ ઉપર અકસ્માતોની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે આજરોજ હરિયાણાના પાણીપતથી ટ્રક નંબર-એચ.આર.૪૫ બી.૫૦૧૯નો ચાલક વાપી ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડીના બ્રીજ ઉપર ચાલકનો સ્ટેયરીંગ ઉપર કાબુ નહિ રહેતા ટ્રક બ્રિજની રેલીંગ સાથે ભટકાઈ હતી અને રેલીંગ સાથે જ લટકી પડી હતી આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માતની ઘટનાને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાહનબોની ગતિ અવરોધાતા 10 કી.મી.સુધી વાહનોની કતાર જોવા મળી હતી. અકસ્માત અંગેની જાણ શહેર પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અકસ્માતગ્રસ્ત ટ્રકને માર્ગની બાજુમાં ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

Next Story