![અંકલેશ્વર : અંદાડા ગામની હેપ્પી રેસિડેન્સીનું બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/0b4fd3cf7a4b66d26955383b9abbd488f2f07099ae45720ef1f7fa54821b0845.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની હેપ્પી રેસિડેન્સી સોસાયટીના બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જેમાં દાગીના અને રોકડ રકમ સહિતના સરસામાનની ચોરી થતાં મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે આવેલ હેપ્પી રેસિડેન્સી સોસાયટીનું એક બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું. હેપ્પી રેસિડેન્સી સોસાયટીમાં રહેતો પરપ્રાંતીય પરિવાર મરણ પ્રસંગે બહારગામ ગયો હતો, તે દરમ્યાન તેમના બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો, ત્યારે મકાનમાં રહેલ દાગીના અને રોકડ રકમ સહિતના સરસામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
બનાવના પગલે મકાન માલિકે પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર સહિત આસપાસના વિસ્તારોમાં ચોરીના બનાવમાં વધારો નોંધાય રહ્યો છે, ત્યારે હવે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગમાં પણ વધારો કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.