અંકલેશ્વર: બિકાનેર દાદર ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાય, 1700 મુસાફરોને બસ દ્વારા રવાના કરાયા

મુંબઈના પાલઘર નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.જેને પગલે વડોદરા તરફ આવતી અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

અંકલેશ્વર: બિકાનેર દાદર ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાય, 1700 મુસાફરોને બસ દ્વારા રવાના કરાયા
New Update

મુંબઈના પાલઘર નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાતા બિકાનેર-દાદર ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરી 1700 મુસાફરોને 10 એસટી બેસમાં રવાના કરવામાં આવ્યા હતા

ગતરોજ સાંજના સમયે મુંબઈના પાલઘર નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.જેને પગલે વડોદરા તરફ આવતી અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.જ્યારે અમદાવાદથી મુંબઈ તરફ જતાં ટ્રેન વ્યવહારને અસર થઈ છે.ત્યારે આજરોજ બિકાનેર-દાદર ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરી તમામ મુસાફરોને વહીવટી તંત્ર અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાસ્તો અને પાણીની વ્યવસ્થા કરી વહીવટી તંત્ર દ્વારા 1700 મુસાફરોને 10થી વધુ બસ દ્વારા સુરત,વાપી વલસાડ ખાતે રવાના કરવામાં આવ્યા હતા.બસોમાં મુસાફરોને ખસેડતી વેળા અવ્યવસ્થા નહીં સર્જાય તે માટે સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

#1700 passengers #CGNews #short terminated #Bikaner Dadar train #terminated #bus #Gujarat #Train Accident #Bharuch
Here are a few more articles:
Read the Next Article