અંકલેશ્વર: નેશનલ હાઇવે પરથી ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

માંડવા ટોલપ્લાઝા પાસેથી પશુઓના ઘાસચારાની આડમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂ જથ્થા સાથે બે ઇસમોને 11.69 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા.

New Update
અંકલેશ્વર: નેશનલ હાઇવે પરથી ઘાસચારાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

ભરુચ એલસીબીએ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ માંડવા ટોલપ્લાઝા પાસેથી પશુઓના ઘાસચારાની આડમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂ જથ્થા સાથે બે ઇસમોને 11.69 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા.

ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર-આર.જે.21.જી.સી.5866માં પશુઓના સૂકા ઘાસચારાની આડમાં સંતાડી વિદેશી દારૂનો જથ્થો ભરી સુરતથી ભરુચ તરફ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ માંડવા ટોલપ્લાઝા પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતાં સૂકા ઘાસચારાની નીચેથી વિદેશી દારૂની 865 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 74 હજારનો દારૂ અને ટ્રક મળી કુલ 11.69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બનાસકાંઠાના તેનીવાડા સ્થિત મોમીન નગરમાં રહેતો ઇસ્તિયાક હનીફ નેદરિયા તેમજ મોહમંદ અકબર સિપાઈને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ બંનેની પોલીસે પૂછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો મુંબઈના ઈમરાન નામના ઇસમે ભરી આપી ઉંઝાના સુનિલને આપવાનું હોવાની કબૂલાત કરી હતી.

Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..
Latest Stories