અંકલેશ્વર: રામનવમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

રામનવમી નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

New Update
અંકલેશ્વર: રામનવમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

અંકલેશ્વરમાં રામનવમી નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

રામનવમીના પર્વની ગતરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરમાં પણ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના ત્રણ રસ્તા સર્કલ ખાતેથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી રામકુંડ ખાતે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ડીજેના તાલ સાથે લોકોએ રામનવમીના પર્વની ઉજવણી કરી હતી