અંકલેશ્વર : નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા...
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનંય નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.
BY Connect Gujarat Desk23 Dec 2023 6:51 AM GMT
X
Connect Gujarat Desk23 Dec 2023 6:51 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનંય નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.
વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વર નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં સુરતથી વડોદરા તરફ જતાં ટ્રેક પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વહેલી સવારથી જ ટ્રાફિક જામ થતાં નોકરી ધંધે જતાં લોકો પણ અટવાયા હતા. ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ, પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસકર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરાય તો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરી શકાય તેમ છે.
Next Story