Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ,અનેક વાહન ચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ભારે ટ્રાફિજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા

X

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ભારે ટ્રાફિજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વાહનોનું ભારણ વધતાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે આજરોજ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સુરત તરફના ટ્રેક પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેને કારણે વાહન ચાલકો અટવાયા હતા.નિલેશ ચોકડીથી લઈ આમલાખાડી બ્રિજ સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસકર્મીઓ ગોઠવી યોગ્ય પગલાં ભરે તો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરી શકાય તેમ છે.સતત બીજા દિવસે પણ ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા

Next Story