અંકલેશ્વર: તહેવારોને ધ્યાનમાં રાખી એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું કરવામાં આવ્યું આયોજન

તહેવારોને ધ્યાનમાં અંકલેશ્વરના શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેવઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

New Update
અંકલેશ્વર: તહેવારોને ધ્યાનમાં રાખી એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું કરવામાં આવ્યું આયોજન

તહેવારોને ધ્યાનમાં અંકલેશ્વરના શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેવઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આગામી સમયમાં હોળી ધૂળેટીનું પર્વ આવી રહ્યું છે તો સાથે જ રમઝાન માસ પણ શરૂ થવા જઈ રહ્યો છે જેને અનુલક્ષીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા, એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર એ.એ.વાળા તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં આવનાર બન્ને સમાજના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય એ માટેની ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી

Read the Next Article

ભરૂચ: વાલિયાના 2 ગામોમાં સરકારી જમીન પર કરાયેલ દબાણો હટાવવામાં આવ્યા

ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

New Update
  • ભરૂચના વાલિયામાં કાર્યવાહી

  • 2 ગામોમાં સરકારી જમીન પર કરાયા હતા દબાણ

  • દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાય

  • અગાઉ પાઠવવામાં આવી હતી નોટીસ

  • અધિકારીઓ રહ્યા હાજર

ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલ ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગૌચરણ અને ગામ તળમાં કેટલાક ઈસમોએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા આજરોજ તલાટી,સહિતના અધિકારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન આમલા ગભાણ ગામે ત્રણ દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદ્દત માગતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદ્દત આપવામાં આવી હતી.જ્યારે ધોળગામના ત્રણ રસ્તાથી ગામના છેડા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.