Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ

X

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ઓકિસજન પ્લાન્ટનો લોકાર્પણ સમારંભ યોજાયો હતો.....

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સોલ્વે સ્પેશિયાલિટીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને જી.વી.ટી. દ્વારા લગાવવામાં આવેલ ઑક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી રૂપિયા 38 લાખના ખર્ચે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ઑક્સીજન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટનું લોકાર્પણ કંપનીના સાઇટ મેનેજર હિમાંશુ ગોંડલિયા, ગ્રામ વિકાસ ટ્રસ્ટના સ્થાપક રમેશચંદ્ર કાસોન્દ્રાના હસ્તેકરવામાં આવ્યું હતું આ પ્રસંગે જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને આમંત્રિતો તેમજ બંને કંપનીના અધિકારીઓ હાજર રહયાં હતાં.

Next Story