અંકલેશ્વર : માનવ મંદિર ખાતે શ્રી રામકથાનો પ્રારંભ, માનવ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ સેવા ટ્રસ્ટનું સંયુક્ત આયોજન

શ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માનવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રીરામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રામકથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

New Update
અંકલેશ્વર : માનવ મંદિર ખાતે શ્રી રામકથાનો પ્રારંભ, માનવ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ સેવા ટ્રસ્ટનું સંયુક્ત આયોજન

શ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માનવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રીરામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રામકથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત માનવ મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજના આશીર્વાદથી અંકલેશ્વર માનવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રીરામ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી સતત 6 દિવસ બપોરે 3થી 6 કલાક દરમ્યાન શ્રી રામકથાનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજનાના કૃપાપાત્ર અંજનેયજી મહારાજ પોતાના મધુર કંઠે ભક્તોને રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવશે, ત્યારે આજે શ્રી રામકથાના ભવ્ય પ્રારંભ દિવ્ય પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ જશુ ચૌધરી, અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના ચેરમેન હર્ષદ પટેલ, માનવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રીરામ સેવા ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાવિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.