અંકલેશ્વર : મોબાઈલમાં કાર્ટૂન બતાવવાના બહાને 11 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર પાડોશીની ધરપકડ...

11 વર્ષીય બાળકી અને તેનો ભાઈ બહાર રમતા હતા, ત્યારે તેમના પાડોશીએ બાળકી અને તેના ભાઈને કાર્ટૂન બતાવાના બહાને પોતાની ઇકો કારમાં બેસાડ્યા હતા

New Update
અંકલેશ્વર : મોબાઈલમાં કાર્ટૂન બતાવવાના બહાને 11 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર પાડોશીની ધરપકડ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 11 વર્ષીય બાળકીને મોબાઈલમાં કાર્ટૂન બતાવવાના બહાને લઈ જઈને અડપલા કરનાર પાડોશીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના એક વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 11 વર્ષીય બાળકીની માતા પોતાના કામથી 14મી ઓગષ્ટના રોજ રાત્રીના બહાર ગઈ હતી. આ સમય દરમિયાન 11 વર્ષીય બાળકી અને તેનો ભાઈ બહાર રમતા હતા, ત્યારે તેમના પાડોશીએ બાળકી અને તેના ભાઈને કાર્ટૂન બતાવાના બહાને પોતાની ઇકો કારમાં બેસાડ્યા હતા.

જે બાદ પાડોશીએ બાળકીના ભાઈને મોબાઇલ પકડાવી બાળકીને ઉંચકીને ઇકો કારમાંથી બહાર લઈ અંધારામાં ઉભી રાખી બાળકી સાથે શારીરિક અડપલા કરી રહ્યો હતો. આ સમયે અચાનક માતા આવી જતા બાળકી દોડીને માતા પાસે પહોંચી ગઈ હતી. પાડોશીની હરકતોથી ગભરાઈ ગયેલી બાળકીએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતાં તેણે આ અંગેની જાણ પોતાના પતિ અને પરિવારના સભ્યોને કરી હતી, ત્યારે બાળકીના પિતાએ અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પીઆઈ વી.યુ.ગડરિયાએ ગુનાની ગંભીરતા નોંધીને તેમના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી પોકસો એક્ટ હેઠળ દુષ્કર્મનો પ્રયાસ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories