અંકલેશ્વર : જૂના NH-48 પર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ખાડામાં ખાબકી, ઇજાગ્રસ્ત ચાલક સારવાર હેઠળ...
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુના ખાડામાં ખાબકી હતી.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુના ખાડામાં ખાબકી હતી. જોકે, આ દુર્ઘટનામાં રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
દિવાળીના તહેવારોમાં જાહેર માર્ગો ઉપર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર જોવા મળી રહી છે. જેની સાથે વધતાં અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તેવામાં ભરૂચ-અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઈવે નંબર 8 પરથી એક રીક્ષા ચાલક પસાર થઈ રહ્યો હતો. આ સમયે RMPS સ્કૂલ નજીક પહોચતા રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. આ સમયે ત્યાથી પસાર થતા લોકોએ દોડી આવી રીક્ષા ચાલકને બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હોવાનું જણવા મળી રહ્યું છે. તો બીજી તરફ, રીક્ષા ખાડામાં ખાબકતાં માર્ગ પર લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી.