Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાઇકલ રેલી યોજાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સાઇકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સાઇકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આજે તા. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા સાઇકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઇકલ રેલી અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ ચોકડી નજીક આવેલ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી પ્રસ્થાન થઈ યોગી એસ્ટેટ ત્યાંથી GIDC પોલીસ મથક થઈ માનવ મંદીર નજીક આવેલ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. હરેશ શાહ સહિતના સભ્યો, અંકલેશ્વર બાઈસિકલ ક્લબ તથા અકલેશ્વર રનર્સ અને વુમન રનર્સ ગૃપના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સાઇક્લિસ્ટોએ ઉપસ્થિત રહી સાઇકલ રેલીના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story