અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાઇકલ રેલી યોજાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સાઇકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાઇકલ રેલી યોજાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સાઇકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 

આજે તા. 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા સાઇકલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઇકલ રેલી અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ ચોકડી નજીક આવેલ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી પ્રસ્થાન થઈ યોગી એસ્ટેટ ત્યાંથી GIDC પોલીસ મથક થઈ માનવ મંદીર નજીક આવેલ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. હરેશ શાહ સહિતના સભ્યો, અંકલેશ્વર બાઈસિકલ ક્લબ તથા અકલેશ્વર રનર્સ અને વુમન રનર્સ ગૃપના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સાઇક્લિસ્ટોએ ઉપસ્થિત રહી સાઇકલ રેલીના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: હાંસોટના કતપોર ગામ નજીક દરિયાના પાણીમાં તણાયેલું કન્ટેનર આવ્યું, પોલીસ અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી

ભરૂચના હાંસોટના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને  આવતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસોટ પોલીસનો

New Update
MixCollage-27-Jul-2025-10-03-AM-438

ભરૂચના હાંસોટના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને  આવતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ભરૂચના હાંસોટ તાલુકાના કતપોર ગામ નજીક દરિયો અને વન ખાડીનો સંગમ થાય છે.આ ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલ મોટુ કન્ટેનર નજરે પડ્યું હતું જેના પગલે ગ્રામજનોમાં કુતુહલ ફેલાયું હતું આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારો દ્વારા તેને બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તરફ આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ મરીન પોલીસ તેમજ હાંસોટ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ કરતાં કન્ટેનરમાં બાળકોના બુટ ચપ્પલનો જથ્થો હોવાનો બહાર આવ્યું છે. પોલીસ દ્વારા આ અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દરિયામાં મોટી ભરતી સમયે કોઈ સીપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જોકે આ કન્ટેનર કોનું છે અને કઈ રીતના દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે.